-->
Natural

Featured Post

Educational news for all

Educational news for all  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young people…

Menu

વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત

વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત


વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત સંદર્ભ : - ૧. શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ ખપશ / ૧૦૧૧ / ૧૩૧ / ચ તા . ૨૭/૦૯/૨૦૧૧ ૨. શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧ / ૨૦૧૪ / સિ.ફા. / ૧૦ / ક તા . ૦૨૮૧૨/૨૦૧૪ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , આર.ટી.ઈ. એક્ટ -૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે . રાજ્યમાં આવેલ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ દ્વારા વિદ્યાર્થીને ગણવેશ , વાહન વ્યવહાર , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરવા અંગેની મૌખિક રજુઆતો અત્રેની કચેરીનાં ધ્યાન પર આવેલ છે . રાજ્યમાં આવેલ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ -૧ દર્શિત ઠરાવથી નક્કી કરી આદર્શ આચાર સંહિતા બહાર પાડવામાં આવેલ છે . જેના મુદ્દા નં ( બ ) નાં ક્રમ ( ૭ ) માં નીચે મુજબનો ઉલ્લેખ કરવામાં આવેલ છે . મુદ્દા નં ( બ ) ( ૭ ) : આવી શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના પુસ્તકો , સાહિત્ય , ગણવેશ કે બુટ પોતાની સંસ્થા પાસેથી , કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપનીનો ખરીદવા માટે આગ્રહ રાખી શકાશે નહી કે ફરજ પાડી શકાશે નહીં .  

તથા , આ પ્રકારે સુચવેલ આદર્શ આચાર સંહિતાનાં ભંગ બદલ શાળા સામે કરવાની થતી કાર્યવાહી અંગેની સુચનાઓ પણ સંદર્ભ -૧ દર્શિત ઠરાવથી બહાર પાડવામાં આવેલ છે . તદ્ઉપરાંત , આ મુજબની અનિયમિતતા આચરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગનાં સંદર્ભ -૨ દર્શિત તા . ૦૨ / ૧૨ / ૨૦૧૪ નાં ઠરાવનાં ક્રમ ૬ અન્વયે દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે . જેમાં દર્શાવ્યા મુજબ “ અમુક ચોક્કસ દુકાનેથી ગણવેશ , નાસ્તો , પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા દબાણ કરવા બાબત “ જે શાળા દ્વારા કોઈ વિદ્યાર્થીને આ મુજબની ફરજ પાડવામાં આવે તો RTE ACT - 2009 ની કલમ ૧૭ અન્વયે પ્રથમ પ્રસંગે રૂ . ૧૦,૦૦૦ / - અને તે પછીના દરેક અનિયમિતતા દીઠ / પ્રસંગ દીઠ રૂ . ૨૫,૦૦૦ / - દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે . આ મુજબની ફરિયાદ આપની કચેરીને મળે તો યોગ્ય તપાસ હાથ ધરી તપાસનાં અંતે સબંધિત શાળા દોષિત જણાતી હોય તો , તેવી શાળા સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવાની રહેશે . તથા , સબંધિત શાળા દ્વારા દંડ ભરવામાં ન આવે તેમજ વારંવાર અનિયમિતતાઓ આચરવામાં આવે તેવા સંજોગોમાં અંતિમ પગલા તરીકે શાળા આ પ્રકારે નિર્દેશ કરેલ અનિયમિયતાઓ સતત પાંચ વખત કરે તો , તેવા સંજોગોમાં શાળા / સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે . સદર બાબતે આપની કક્ષાએથી આપના તાબા હેઠળ આવતી તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને પુનઃ જરૂરી સુચનાઓ આપવા જણાવવામાં આવે છે . તથા , સદર બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિણાધિકારીશ્રીઓએ અંગત રસ લઈ ગંભિરતાપૂર્વક નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે .


ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email