-->
Natural

Featured Post

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24 *RTE હેઠળ પ્રવેશ અંગે* નમસ્તે મિત્રો-------- ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ  વર્ષ ૨૦૨૪-૨૫  માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ…

Menu

On Line Nominations for 2023-24 under INSPIRE Award Scheme – MANAK

On Line Nominations for 2023-24 under INSPIRE Award Scheme – MANAK


વિષયઃ On Line Nominations for 2023-24 under INSPIRE Award Scheme – MANAK

સવિનય ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે INSPIRE Award Scheme -MANAK Queet 2812ell Department of Science and Technology, India and National Innovation Foundation-India ના સંયુકત ઉપક્રમે અમલીકૃત યોજના વર્ષ ૨૦૦૯ – ૧૦ થી શરૂ થયેલ છે. આ અન્વયે પ્રતિવર્ષની જેમ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઓન લાઇન શાળા રજીસ્ટ્રેશન અને ઓનલાઇન નોમીનેશન પ્રક્રિયા ૦૧/૦૫/૨૦૨૩ થી શરૂ થયેલ છે. અને તા. ૩૧/૦૮/૨૦૨૩ના રોજ બંધ થનાર છે.

આ અન્વયે ધોરણ ૬ થી ૮ ધોરણ ધરાવતી શાળા દ્વારા ૩ અને ધોરણ ૯ -૧૦ ધરાવતી શાળા દ્વારા ૨ best original ideasy innovations E-Management of INSPIRE Award Scheme ( E-MIAS) web portal ( www, inspireawards-dst.gov.in) પર વિધાર્થી શાળા દ્વારા અપલોડ કરવાના થાય છે. આ યોજના અન્વયે જે વિધાર્થીના original ideast innovations પસંદ થાય છે તે વિધાર્થીના ખાતામાં રૂા. ૧૦૦૦૦ એવોર્ડ રકમ તરીકે જમા થાય છે જેનો ઉપયોગ મોડેલ તૈયાર કરવા અને જિલ્લા પ્રદર્શનમાં ભાગ લેવા સંદર્ભે પ્રવાસ ખર્ચ માટે કરવાનો રહે છે. તમામ ડાયટ પાસે શાળા રજીસ્ટ્રેશન અને નોમીનેશન પ્રક્રિયા અંગેની ગાઇડલાઇન ઉપલબ્ધ છે. શાળાઓને આ સંદર્ભે જરૂરી માર્ગદર્શન ડાયટ- જિલ્લા નોડલ અધિકારી દ્વારા મળશે.

આ અન્વયે ડાયટ તાલુકા લાયઝન દ્વારા દર ૧૦ દિવસે એસવીએસ અને બીઆરસી સાથે સંકલન કરી કેટલી શાળાઓનું નોમીનેશન થયુ અને કેટલી શાળાઓ બાકી તે અંગેની વિગતોની નોંધ કરવાની રહેશે. ડાયટના આ કામગીરી સાથે સંકળાયેલ જિલ્લા નોડલ અધિકારીએ તાલુકા લાયઝન સાથે આ તમામ બાબતોનું સંકલન કરવાનું રહેશે.

આ સંદર્ભે આગામી સમયમાં જીસીઇઆરટી કક્ષાએથી ઓનલાઇન મીટીંગનું આયોજન કરી રીવ્યુ કરવામાં આવશે.


ઉપરોકત તમામ વિગતો ધ્યાને લઇ ડાયટ દ્વારા પ્રાચાર્યશ્રી, ડીઇઓશ્રી, ડીપીઇઓશ્રીની સંયુકત સહીથી તમામ એસવીએસ કન્વીનર ટીપીઇઓ/ બીઆરસી/સીઆરસી તથા તમામ શાળાઓને સમયમર્યાદામાં મહત્તમ નોમીનેશન કરવા સંદર્ભે જાણ કરવા જણાવવામાં આવે છે.જીસીઇઆરટી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતા માસિક અંક જીવન શિક્ષણમાં પણ આ યોજના અંગે અને શાળા રજીસ્ટ્રેશન અને ઓનલાઇન નોમીનેશન પ્રક્રિયા અંગે વિગતો આપવામાં આવેલ છે, જેમાં QR Code માં પ્રક્રિયા અંગેના વીડીઓ પણ આપેલ છે જે આપને મદદરૂપ થશે. તમામ ડાયટ દ્વારા તમામ એસવીએસ કન્વીનર/ ટીપીઇઓ/ બીઆરસીને સંયુકત સહીથી પત્ર દ્વારા જાણ કરવા જણાવવામાં આવે છે. આભાર સહ,

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email